ટપાલ સેવાને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરાશે : મુખ્ય પોસ્ટમાસ્ટરની કચેરી ખાતે ડાક અદાલતનું આયોજન ...
- 17 Apr, 2024
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર, અમદાવાદ-380001 ખાતે તા. 29 એપ્રિલ, 2024, સોમવારના રોજ 12.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે.આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલસેવાઓને લગતા મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાભળી નિકાલ કરવામાં આવશે.
ટપાલ સેવા સબંધિત અદાલતમા રજૂ કરવાની ફરિયાદો, આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર જનરલ (વિજિલન્સ ઓફિસર), કમ્પ્લેઈન્ટ સેક્શન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર અમદાવાદ-380001ને મોડામાં મોડી તા. 24 એપ્રિલ, 2024ના રોજ બુધવાર સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલી ફરિયાદો ધ્યાનમાં લેવામા આવશે નહી. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ધરવામાં આવશે નહીં.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ